2020માં કાશ્મિરમાં આતંકી ઘટનામાં 63.93%નો ઘટાડો નોંધવામાં આવ્યો
ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવતી માહિતી પ્રમાણે 2020 માં 15 નવેમ્બર સુધી આતંકી ઘટનાઓની સંખ્યામાં 63.93% ઘટાડો થયો છે. ઉપરાંત, વિશેષ દળોની શહાદતમાં 29.11% નો ઘટાડો થયો છે. આ સિવાય 2019 ની તુલનામાં 2020 માં 14 નવેમ્બર સુધી નાગરિકોની જાન જવાના કિસ્સામાં પણ 14.28% નો ઘટાડો થયો છે.
The number of terrorist incidents in 2020 (Upto Nov 15) decreased by 63.93%; there was also decrease in fatalities of Special Forces Personnel by 29.11 % & a decrease in casualties of civilians by 14.28 % in 2020 (Upto Nov 15), as compared to the corresponding period in 2019: MHA
— ANI (@ANI) January 11, 2021
MHA અહેવાલમાં જણાવાયું છે કે, ‘વડા પ્રધાન વિકાસ પેકેજ હેઠળ, પીઓજેકે – PoJK અને ચંબાથી વિસ્થાપિત 36,384 પરિવારોને કુટુંબ દીઠ 5.5 લાખની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે.’ એવું પણ કહેવામાં આવ્યું હતું કે, પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓના 5764 પરિવારો માટે કુટુંબ દીઠ રૂ.
5.564 ના દરે એક સમયની આર્થિક સહાય પણ પીઓજેકે સ્થળાંતરકારો સાથે સમાન રીતે આપવામાં આવી છે.
વાર્ષિક સિદ્ધિઓ વિશે માહિતી આપતાં ગૃહમંત્રાલયે એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રીય અને રાજ્ય કાયદાઓનો અમલ સરકારની મહત્ત્વની સિદ્ધિઓ છે.